Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

'અકિલા' પરિવારના સભ્યો સાથે સી.આર. પાટીલનું ઉષ્માભર્યુ મિલન

રાજકોટઃ ભાજપના પ્રદેશ પ્રમુખ અને સાંસદ સી.આર. પાટીલ આજે 'અકિલા' કાર્યાલયની મુલાકાતે આવ્યા હતા, તે દરમિયાન તેઓએ અકિલા પરિવારના સિનીયર સભ્યો નરેન્દ્રસિંહ જાડેજા, ડો. અનિલ દાશાણી અને શૈલેષ દવે સાથે હળવાશની પળો માણી હતી તે સમયની તસ્વીર. ઉપરની પ્રથમ તસ્વીરમાં અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રા અને અજીતભાઇ ગણાત્રા પણ નજરે પડે છે. નીચેની તસ્વીર અકિલા પરિવારના સભ્યો સાથેની મુલાકાત વખતની છે. અકિલાની મુલાકાત દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખે અકિલાના વિવિધ વિભાગોની મુલાકાત પણ લીધી હતી અને વિવિધ વિભાગોના કર્મચારીઓને પણ મળ્યા હતા. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:36 pm IST)