Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

રણછોડદાસજી બાપુનું આશ્રમ ૩૦મી સુધી બંધ

રાજકોટઃ પૂ.રણછોડદાસ બાપુનું સદ્દગુરૂ સદન આશ્રમ ૧૦ દિવસ બંધ રહેશે. કોરોના વાઈરસનાં કારણે કેસો વધી રહ્યા હોય પ.પૂ.શ્રી રણછોડદાસબાપુ આશ્રમ, રાજકોટ દ્વારા સર્વજનના હીત માટે તથા સર્વજનના સુખ માટે નિર્ણય લેવામાં આવ્યો છે કે, નીજ મંદિરનાં દર્શન (મંદિર પ્રવેશ) આજરોજ તા.૨૧ શનિવારથી તા.૩૦ સોમવાર સુધી બંધ રહેશે. સમસ્ત ધર્મપ્રેમી ભાઈ- બહેનોએ સરકારી આદેશોનું પાલન કરવા યાદીમાં જણાવાયું છે.

(12:57 pm IST)