Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

મંડળીમાંથી લોન લઇને આપેલ ચેક રિટર્નના કેસમાં સભાસદને કોર્ટ દ્વારા ૧ વર્ષની સજા

રાજકોટ તા. ર૧: મંડળીમાંથી લોન લીધા બાદ તેની વસુલાત માટે આપેલો રૂ. ર૦,૭પ૦/-ની કિંમતનો ચેક ચેક પરત ફરવાના કેસમાં સભાસદને કોર્ટે તકસીરવાન ઠરાવી ૧ વર્ષની સાદી જેલની સજાનો હુકમ કર્યો છે. તેમજ ચેકની રકમ મુજબનું વળતર એક માસમાં ચુકવવું તથા વળતર ચુકવવામાં નિષ્ફળ જાય તો વધુ છ માસની સાદી કેદની સજા પણ આદેશ કર્યો છે.

ફરીયાદની ટુંક વિગત એવી છે કે આ કામના ફરીયાદી અજયભાઇ ભરતભાઇ પરમાર (રહે. રાજકોટ) કે જેઓ મેનેજર દરજજે જાનકી શરાફી સહકારી મંડળી લી. રાજકોટ મુકામે ચલાવે છે. આ કામના આરોપી શહેનાઝબેન યાસીનભાઇ સૈયદ (રહે. રાજકોટ) એ મંડળી પાસેથી રૂ. ૧ર,૦૦૦/-ની જાત જામીનની લોન લીધી હતી. ત્યારબાદ આરોપીએ લેણી રકમના ચડત હપ્તા પેટે ફરીયાદી મંડળીને આરોપીએ બેંક ઓફ બરોડા, અજીત ઇન્ડ. એરીયા શાખા, રાજકોટના ચેક રૂ. ર૦,૭પ૦/- પુરાનો ચેક આપ્યો હતો. જે ચેક એકાઉન્ટ કલોઝડના શેરા સાથે પરત ફરેલ હતો.

ત્યારબાદ આરોપીને ફરીયાદી મંડળીના એડવોકેટ મારફત લીગલ નોટીસ આપીને ચેક રીટર્નની જાણ કરતા આરોપીએ કોઇ જવાબ આપેલ નહીં કે હકારાત્મક અભીગમ દાખવેલ ન હોય. આથી ફરીયાદીએ તેમના એડવોકેટ મારફત રાજકોટના એડી. ચીફ જયુ. મેજી. કોર્ટ સમક્ષ ઉપરોકત ચેક રીટર્ન થયાની ફરીયાદ દાખલ કરેલ અને કોર્ટ આરોપી વિરૂદ્ધ સમન્સ ઇસ્યુ કરવાનો હુકમ કરેલ હતો. ત્યારબાદ સદરહું કેસ ચાલી જતા અદાલતે નેગો. ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ ના ગુના સબબ તકસીરવાન ઠરાવી ૧ વર્ષની સાદી કેદની સજા અને રૂ. ર૦,૭પ૦/- ફરીયાદીને વળતર પેટે ચુકવવાનો હુકમ કરેલ અને જો આરોપી વળતર ન ચુકવે તો વધુ છ માસની સાદી કેદની સજા કરવાનો હુકમ કરેલ એડી. ચીફ જયુ. કોર્ટએ ફરીયાદીની તરફેણમાં હુકમ કર્યો હતો.

આ કામના ફરીયાદી મંડળી તરફે પી એન્ડ આર લો ચેમ્બર રાજકોટના ધારાશાસ્ત્રી અલ્પેશ વી. પોકીયા, વંદના રાજયગુરૂ, અમીત ગડારા, કેતન જે. સાવલીયા, ભાર્ગવ પંડયા, પરેશ મૃગ, રીતેશ ટોપીયા વિગેરે રોકાયેલ હતા.

(3:28 pm IST)