Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

રાજકોટ એસટી ઉપર આજે પણ કોરોનાનો રાફડો ફાટ્યો : ૧૮૦ મુસાફરોનું ચેકીંગ બપોર સુધીમાં ૩૫થી વધુ કેસ કોરોના પોઝીટીવ જાહેર

એસટીના લોકપ્રિય એટીએસ સહદેવસિંહનો કોરોનાએ ભોગ લીધો

રાજકોટ એસટી ઉપર કોર્પોરેશન દ્વારા ચાલતા કોરોના ટેસ્ટ બુથમાં રોજેરોજ આવતા - જતા પ્રવાસીઓમાંથી ઢગલાબંધ મુસાફરો પોઝીટીવ જાહેર થઈ રહ્યા છે : આજે પણ કોરોનાએ આતંક મચાવ્યો હતો : બપોરે ૨ સુધીમાં ૧૮૦ મુસાફરોના ચેકીંગમાં ૩૫ થી વધુ મુસાફરોને કોરોના પોઝીટીવ જાહેર થતા તેમને હોમ આઈસોલેશન જાહેર થયા છે : દરમિયાન રાજકોટ એસટીના ડેપો ઉપરના લોકપ્રિય એટીએસ સહદેવસિંહ ગોહીલનું કોરોનાની બિમારીને કારણે કરૂણ મોત નિપજતા ઘેરો શોક છવાયો છે : સ્ટાફમાં ભારે ગમગીની છવાઈ હતી : અનેક લોકો ચોધાર આંસુએ રડી પડ્યા હતા : લોકોને સાવચેતી રાખવા ડેપો મેનેજરની હાથ જોડીને વિનંતી.

(4:11 pm IST)