Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

રાજકોટ કોર્ટના બદલી પામેલ ન્‍યાયધીશોને વિદાયમાન અપાયુઃ મુખ્‍ય સેશન્‍સ જજ, ડી. જી. પી. વોરાની ઉપસ્‍થિતિ

એડવોકેટ સંજયભાઇ વ્‍યાસ સહિતના વકીલોએ બદલી થયેલ જજોને શુભકામના પાઠવી

રાજકોટ તા. ર૧ :.. ગત તા. ર૦ ના રોજ રાજકોટના મીડીયેટર્સ દ્વારા રાજકોટ કોર્ટના બદલી થયેલ તમામ જજીસને વિદાયમાન આપવાનો કાર્યક્રમમાં ડીસ્‍ટ્રીકટ જજ યુ. ટી. દેસાઇની અધ્‍યક્ષતામાં રાખવામાં આવેલ તેમાં રાજકોટ થી બદલી થતા અને રાજકોટના જજીસ અને મીડીયેટર્સ ઉપસ્‍થિત રહેલ તમામનો આભાર માની બદલી થયેલ છે તેઓને તેમના ઉજવળ ભવિષ્‍યની શુભકામના પાઠવવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત પ્રીન્‍સીપાલ જજ ફેમીલી કોર્ટ ડી. જે. છાટબાર, ડી. જી. પી. એસ. કે. વોરાનો પણ આભાર માનવામાં આવેલ હતો.

આ કાર્યક્રમમાં બાર એસો.ના પૂર્વ પ્રમુખશ્રી સંજયભાઇ વ્‍યાસ દ્વારા પણ ન્‍યાયાધીશોને શુભકામના પાઠવવામાં આવી  છે.

આ પ્રસંગે એડવોકેટ સંજયભાઇ વ્‍યાસ ઉપરાંત કલેઇમ બાર.ના પૂર્વ પ્રમુખ રાજેશ મહેતા, એડવોકેટ જસવંત કરથીયા, કે. જે. ત્રિવેદી, જીતેન્‍દ્ર પારેખ સહિતના એડવોકેટ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતાં.

(3:40 pm IST)