Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

માલવીયા પરિવારના વિશાલ માલવીયાનું દુઃખદ અવસાન : હૃદયરોગનો હુમલો ઘાતક નીવડયો

રાજકોટ : શહેરના જાણીતા એવા માલવીયા પરિવારના વિશાલ માલવીયાનું હૃદયરોગના હુમલાથી દુઃખદ અવસાન થયેલ છે.  તાજેતરમાં તેઓને હૃદયરોગનો હુમલો આવ્‍યો હતો. તેઓ હોસ્‍પિટલમાં દાખલ હતા. તેઓની સારવાર પણ ચાલુ હતી. ગઈકાલે તેઓનું દુઃખદ અવસાન થયુ છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ વિશાલ માલવીયાના લગ્ન રાજકોટના જ એક જાણીતા કલાકાર હેમાલી સેજપાલ સાથે થયા હતા.

 

(11:24 am IST)