Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

ર૧૮ દિવ્યાંગ મુકબધીર બાળકોએ કર્યા યોગાસન

રાજકોટ : આજ રોજ રાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે  રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પાંખ ક્રીડા ભારતી રાજકોટ મહાનગર  દ્વારા  મૂકબધીર દિવ્યાંગ બાળકોને  પીનાકીન ભાઈ રાજ્યગુરૂ તેમજ તેમની ટીમ દ્વારા  ૨૧૮ જેટલા દિવ્યાંગ મૂક બધિર બાળકોને  યોગ શીખવાડ્યા હતાં અને તેમણે યોગનું મહત્ત્વ સમજાવ્યું હતું  બાળકોએ પણ ખુબ જ હર્ષ અને ઉલ્લાસથી  યોગમાં ભાગ લીધો હતો  આ પ્રસંગને સફળ બનાવવા માટે આચાર્યશ્રી કશ્યપ પંચોલીના માર્ગદર્શન હેઠળ શાળાની યુવા તેમજ ઉત્સાહિત શિક્ષક મિત્રોની ટીમ  દ્વારા આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવેલ હતી.

 

(3:27 pm IST)