Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

ભા.જ.પ. બક્ષીપંચ મોરચાનાં પ્રદેશ પ્રમુખ ઉદય કાનગડનાં માર્ગદર્શન હેઠળ ''સામાજીક સમરસતા'' ભોજન કાર્યક્રમ

ગુજરાતભરમાં મોરચાનાં પદાધિકારીઓએ પોતાના ઘરે અનુ. જાતિ બંધુઓનું સન્માન કર્યુ

રાજકોટ, તા. ર૧ : ભાજપનાં  પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ  સાહેબને ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકેની નિયુકિતને ૨૦ જુલાઈના રોજ ૧ વર્ષ પૂર્ણ થયા નિમિતે પ્રદેશ પ્રમુખ સી. આર.પાટીલ સાહેબની માર્ગદર્શનથી અને ગુજરાત બક્ષીપંચ મોરચાના પ્રમુખશ્રી ઉદયભાઈ કાનગડની આગેવાનીમાં સામાજિક સમરસતાના ભાગરૂપે પ્રદેશ બક્ષીપંચ મોરચા દ્વારા સમગ્ર ગુજરાત માં દરેક જિલ્લા /મહાનગરોમાં બક્ષીપંચ મોરચાના પદાધિકારીઓ દ્વારા પોતાના ઘરે અનુસૂચિત જાતિના બંધુઓને આમંત્રણ આપીને ભોજન તેમજ સન્માનના  ૧૩૦ થી ૧૩૫ કાર્યક્રમ થયા. જેમાં  વલસાડ, નવસારી, સુરત શહેર , સુરત જિલ્લો, ભરૂચ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, મહીસાગર, આણંદ, ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, જામનગર શહેર, જામનગર જિલ્લો, રાજકોટ, રાજકોટ જિલ્લો, મોરબી, જૂનાગઢ જિલ્લો, જૂનાગઢ શહેર, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, સુરેન્દ્રનગર વગેરે જીલ્લાનો સમાવેશ છે.

(3:27 pm IST)