Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

પ્રદેશ ભાજપ દ્વારા ઇ-ચિંતન અભ્યાસ વર્ગ

ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તામાં પાર્ટી માટે આપેલા બલિદાનોના પૂર્વજોના સંસ્કારોનું સિંચન થાય તેવા હેતુથી રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા પ્રદેશ અઘ્યક્ષ સી.આર. પાટીલજીના માર્ગદર્શન હેઠળ પ્રદેશ ભાજપની યોજના અનુસાર સમગ્ર ગુજરાતભરમાં ઈ–ચિંતન અભ્યાસવર્ગ નું આયોજન કરવામાં આવેલ છે, આ અંતર્ગત પ્રદેશ ભાજપ ઘ્વારા ઈ–ચિંતન અભ્યાસ વર્ગ યોજાયેલ હતો. આ ઈ–ચિંતન અભ્યાસ વર્ગમાં રાજકોટ મહાનગર માં થી શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારઘ્વાજ, સાંસદ મોહનભાઈ કુંડારીયા,  રામભાઈ મોકરીયા,  ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવીંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ,  શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુર, મેયર ડો. પ્રદીપ ડવ, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, મહીલા મોરચા પ્રભારી  અંજલીબેન રૂપાણી, ભાનુબેન બાબરીયા , પ્રદેશ અનુ.જાતી મોરચાના ઉપપ્રમુખ રાજુભાઈ અઘેરા સહીતના  વર્ચ્યુઅલ માઘ્યમથી જોડાયા હતા. આ ઈ–ચિંતન અભ્યાસ વર્ગમાં સાંસદ અને ગુજરાત પ્રદેશના સહપ્રભારી સુધીર ભાઈ ગુપ્તાએ  'આપણી વિદેશ નીતિ અને તેની ઉપલબ્ધીઓ' વિષય પર વકતવ્ય આપેલ.

(3:57 pm IST)