Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

નાનામવા રોડ પર મનપાની દુકાનની ૨૮મીએ હરરાજી : ૨૩ દુકાનની રૂા. ૧૮ થી ૩૩ લાખ સુધીની અપસેટ કિંમત

રાજકોટ તા. ૨૦ : મહાનગરપાલિકા દ્વારા નાના મવા રોડ પર ભીમનગર સર્કલ ખાતે બનાવવામાં આવેલ આવાસ યોજનાના શોપીંગ સેન્‍ટરની ૨૩ દુકાનોની તા. ૨૮ના રોજ જાહેર હરરાજી કરવામાં આવનાર છે.

જેમાં હરરાજીનું સ્‍થળ નાનામવા રોડ, ભીમનગર સર્કલ પાસે હેવલોક એપાર્ટમેન્‍ટ સામે કુલ ૨૩ દુકાનોની તા. ૨૮ને બુધવારે સવારે ૯ કલાકે જાહેર હરરાજી યોજાશે.

આ દુકાનો ૧૩.૦૬ ચો.મી. થી ૨૪.૪૪ ચો.મી. સુધીની સાઈઝની દુકાનો છે. દુકાનોની અપસેટ કીંમત રૂ.૧૮ લાખથી રૂ.૩૩ લાખ સુધીની છે. હરરાજીમાં ભાગ લેવા માંગતા વ્‍યક્‍તિઓએ હરરાજીની તારીખના આગળના દિવસ સુધીમાં એસ્‍ટેટ વિભાગમાં અથવા હરરાજીના દિવસે સ્‍થળ પર રૂ.૨ લાખ ‘રાજકોટ મહાનગરપાલિકા'ના નામના ચેક અથવા ડીમાન્‍ડ ડ્રાફટથી ડીપોઝીટ તરીકે ભરવાના રહેશે. ડીપોઝીટ ભરનાર ઈસમ જ હરરાજીમાં ભાગ લઈ શકશે.

દુકાનોની અપસેટ કિંમત અને હરરાજીની શરતો વેબસાઈટ www.rmc.gov.in પરથી અથવા એસ્‍ટેટ વિભાગ. રૂમ નં.૧૦, ત્રીજો માળ, ડો. આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ (ફોન.૦૨૮૧-૨૨૨૨૫૪૦) ખાતેથી રૂબરૂ મળી શકશે. તેમ મનપાની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

(3:29 pm IST)