Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

પડધરીના વણપરી ટોલનાકે રાજકોટના ટેન્‍કર ચાલક પર ટોલ મામલે હુમલો

ઝલ ભરી જામનગરથી આવી રહેલા મહાવીરસિંહે ટોલનાકાના કર્મચારીઓ સિધ્‍ધરાજસિંહ અને યુસુફ સહિતે માર માર્યો

રાજકોટ તા. ૨૧: પડધરીન વણપરી ટોલનાકા પર ટોલ બાબતે બે ત્રણ કર્મચારીઓએ રાજકોટના ટેન્‍કર ચાલક યુવાનને ટોલ મામલે ઝઘડો કરી ઢીકાપાટુનો અને કંઇક ધારદાર વસ્‍તુથી માર મારી ઇજા પહોંચાડતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવતાં આવતાં પોલીસને જાણ કરાઇ હતી.

જામનગર રોડ એસઆરપી કેમ્‍પ સામે આસ્‍થા ટાઉનશીપ ખાતે રહેતાં મહાવીરસિંહ નરેન્‍દ્રસિંહ જાડેજા (ઉ.૨૪) સાંજે જામનગરથી ટેન્‍કરમાં ડીઝલ ભરી રાજકોટ તરફ આવતાં હતાં ત્‍યારે પડધરીના વણપરી ટોલનાકા પર ટોલ કર્મચારીઓ સિધ્‍ધરાજસિંહ ડોડીયા, યુસુફ અને અજાણ્‍યાઓએ હુમલો કરી માર મારતાં સારવાર માટે દાખલ કરવામાં આવતાં પડધરી પોલીસને હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરી હતી. મહાવીરસિંહના કહેવા મુજબ નિયમ મુજબ ડીઝલના ટેન્‍કરને લોકલ ફેરામાં ગણવામાં આવતું હોઇ ટોલ ટેક્‍સ લેવાનો ન હોય તેમ કર્મચારીને સમજાવતાં કર્મચારીઓએ ટોલ આપવો જ પડશે તેમ કહી ઝઘડો કરી હુમલો કર્યો હતો.

(10:25 am IST)