Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

જેલની બેરેકના શૌચાલયમાં કાચા કામના કેદી દીપક ચારોલીયાનો ફાંસો ખાઇ આપઘાત

એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલ સગીરાના અપહરણના ગુન્‍હામાં જેલમાં હતોઃ કારણ અકળ

રાજકોટ તા.ર૧ : શહેરની મધ્‍યસ્‍થ જેલની બેરેકના શૌચાલયમાં કાચા કામના કેદીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પ્રનગર પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી વિગત મુજબ મધ્‍યસ્‍થ જેલમાં નવી બેરેક જેલ-ર યાર્ડ નં.રમાં રહેલા દીપક દીનેશભાઇ ચારોલીયા (ઉ.૧૯) (રહે. ગોંડલ રોડ લોહાનગર) નામના કાચા કામના કેદીએ બેરેકમાં રાત્રે શૌચાલયમાં ઉપર લોખંડના સળીયાવાળી બારીના સળીયા સાથે ટુવાલ અને કપડ બંને બાદ બારીના સળીયા સાથે બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો સવારે તેને લટકતી હાલતમાં જોઇ ઇન્‍ચાર્જ જેલર કિરણસિંહ સીસોદીયાએ જાણકરતા પ્રનગર પોલીસ મથકના પી.એસ.આઇ. આર. એસ. સાકળીયા તથા રાઇટર આનંદભાઇએ સ્‍થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી મૃતક દીપક ચારોલીયા એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલ સગીરાના અપહરણના ગુન્‍હામાં ગત તા.પ/૮ થી જેલમાં હતો. તેણે કયા કારણોસર આ પગલુ ભર્યું તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

 

(3:19 pm IST)