Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

શાષાીનગરમાં ધોળા દિવસે શંકરભાઇ જીવનાણીના મકાનમાં ૧.૧૫ લાખની ચોરી

રાજકોટ તા. ૨૧ : જંકશન પ્‍લોટ નજીક શાષાીનગરમાં રહેતા યુવાનના બંધ મકાનને નિશાન બનાવી રોકડ તથા દાગીના મળી રૂા. ૧,૧૫,૦૦૦ની મત્તા ચોરી જતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ શાષાીનગર શેરી નં. ૩માં રહેતા શંકરભાઇ શામનદાસભાઇ જીવનાણી (ઉ.વ.૪૪) એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્‍યું છે કે, પોતે વિડીયો શુટીંગનું કામ કરે છે અને પત્‍ની પ્રાઇવેટ કોમ્‍પ્‍યુટર ઓપરેટર તરીકે નોકરી કરે છે અને તેની નોકરીનો સમય બપોરે ત્રણથી સાંજના સાત વાગ્‍યા સુધીનો છે. ગઇકાલે પોતે ફોટોગ્રાફીના કામ માટે એરપોર્ટ ખાતે ગયા હતા અને પત્‍ની લતાબેનને બપોરે તેના કામ ઉપર ભૂતખાના ચોક ખાતે જવાનું હોઇ જેથી પોતે પત્‍નીને ઘરને તાળુ મારી નોકરીએ જવાનું કહી પોતે સવારે ઘરેથી નીકળી ગયા હતા. બાદ સાંજે કામ પુરૂં કરી પોતે બપોરે ઘરે આવતા ઘરના આગળના મુખ્‍ય દરવાજાનું તાળુ જોવા ન મળતા પોતે આગરીયો ખોલી અંદર જતા તાળુ તેટલું જોવા મળ્‍યું હતું. બાદ પોતે રૂમમાં તપાસ કરતા કબાટ ખુલ્લો હતો અને તેમાં રાખેલ પાકીટમાંથી રૂા. ૫૦ હજાર રોકડા અને સોના-ચાંદીના દાગીના મળી રૂા. ૧,૧૫,૦૦૦ની માલમત્તા ગાયબ થતા ચોરી થઇ હોવાની ખબર પડી હતી. આ બનાવની જાણ કરતા પ્ર.નગર પોલીસ મથકના એ.એસ.આઇ. બીપીનભાઇએ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(3:43 pm IST)