Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

વિધાનસભા-૭૦ માં મતદાર યાદીનો રી-સર્વે કરાવો : આર. કે. બાબરીયા

મત્યુ પામનારના નામો કમી કરવા, મતદાન મથકમાં સીસીટીવી કેમેરા ગોઠવવા સહીતના મુદ્દે રજુઆત

રાજકોટ તા. ૨૦ : આગામી વિધાનસભાની ચુંટણીઓને ધ્યાને લઇ આમ આદમી પાર્ટી શહેરલ લીગલ સેલ પ્રમુખ એડવોકેટ આર. કે. બાબરીયાએ કલેકટરને આવેદનપત્ર પાઠવી કેટલાક પ્રશ્નોની રજુઆત કરી હતી.

તેઓએ રજુઆતમાં જણાવેલ છે કે વિધાનસભા - ૭૦ માં અવસાન પામેલ નામ મતદાર યાદીમાંથી કમી થયેલ ન હોય તાકીદની અસરથી સર્વે કરાવી આવા નામો કમી કરાવવા જોઇએ. તેમજ પ્રીસાઇડીંગ ઓફીસરની જવાબદારી નકકી કરી બોગસ વોટીંગ ન થાય તે બાબતે કાર્યવાહી કરવા, મતદાન કેન્દ્ર મતદાન બુથની નજીક રાખવા, મતદાન મથકની અંદર સીસીટીવી કેમેરા ગોઠવવા, ખાનગી જગ્યામાં મતદાન મથક હોય તો તાત્કાલીક દુર કરવા સહીતના મુદ્દે તેઓએ રજુઆત કરી છે.

(4:10 pm IST)