Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

પડધરીના સરપદડ પાસે કાર પૂલ સાથે અથડાતા રાજકોટના અશોકભાઈ દસાડીયાનું મોતઃ મિત્ર કલ્પેશભાઈને ગંભીર ઈજા

મૃતક અશોકભાઈ ગાંધીગ્રામમાં મોર્ડન હેર આર્ટના નામે દુકાન ધરાવતા'તાઃ બે પુત્રોએ પિતાની છત્રછાંયા ગુમાવતા વાણંદ પરિવારમાં અરેરાટી

રાજકોટ, તા. ૨૧ :. પડધરીના સરપદડ પાસે કાર પૂલ સાથે અથડાતા કારમાં બેઠેલા રાજકોટના વાણંદ યુવાનનું મોત નિપજ્યુ હતુ. જ્યારે તેના મિત્રને ગંભીર ઈજા થઈ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ પડધરીના સરપદડ ગામ પાસે ખંભાળા રોડ પર પૂલ સાથે કાર નં. જીજે ૦૬ એલબી ૯૩૦૧ અથડાતા કારમાં બેઠેલા રાજકોટના ગાંધીગ્રામ ન્યુ મહાવીરનગર શેરી નં. ૩માં રહેતા અશોકભાઈ દયાળજીભાઈ દસાડીયાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ જ્યારે કાર ચાલક તેના મિત્ર કલ્પેશભાઈ મનસુખભાઈ જોગડીયા રહે. આશાપુરા મેઈન રોડ ગાંધીગ્રામ, ન્યુ વેલનાથ ચોક-રાજકોટને ગંભીર ઈજા થતા સારવાર અર્થે રાજકોટ ખાનગી હોસ્પીટલમાં ખસેડાયેલ છે. બનાવની જાણ થતા પડધરી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

અકસ્માતમાં મૃત્યુ પામનાર અશોકભાઈ દસાડીયા ચાર ભાઈઓમાં મોટા હતા અને સંતાનમાં બે પુત્રો છે. જેણે પિતાની છત્રછાંયા ગુમાવતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતક અશોકભાઈ ગાંધીગ્રામ વિસ્તારમાં મોર્ડન હેર આર્ટ નામે દુકાન ધરાવે છે.

બનાવ અંગે મૃતકના ભાઈ મનોજભાઈએ કારના ચાલક કલ્પેશભાઈ જોગડીયા સામે ફરીયાદ કરતા પડધરીના પીએસઆઈ એ.એ. ખોખરે તપાસ હાથ ધરી છે.

(12:45 pm IST)