Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

ગોપાલ પાર્કમાં પુત્રના ઘરે આવેલા પ્રૌઢ હસમુખભાઈ બેભાન થયા બાદ મોત

ભાવસર ગામના પ્રૌઢ સારવાર કરાવવા માટે રાજકોટ આવ્યા'તા

રાજકોટ, તા. ૨૧ :. માળીયામિંયાણાના ભાવસર ગામમાં રહેતા અને છેલ્લા ત્રણ દિવસથી રાજકોટ પુત્રના ઘરે સારવાર માટે આવેલા પ્રૌઢ બેભાન થયા બાદ તેનુ મોત નિપજ્યુ હતું.

મળતી વિગત મુજબ ભાવસર ગામમાં રહેતા હસમુખભાઈ મગનભાઈ પંડયા (ઉ.વ. ૫૯)ને છેલ્લા પાંચ દિવસથી ઝાડા-ઉલ્ટીની તકલીફ હોય તેથી ત્રણ દિવસ પહેલા રાજકોટ અંકુરનગર મેઈન રોડ પર ગોપાલપાર્ક-૩માં રહેતા પુત્ર વિપુલભાઈના ઘરે આવ્યા હતા. બાદ ગઈકાલે તેને લક્ષ્મીનગર પાસે આવેલી હોસ્પીટલમાં સોનોગ્રાફી કરાવવા માટે ગયા હતા, ત્યાં તે અચાનક બેભાન થઈ જતા તેને સારવાર માટે ખસેડાતા તેનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ.

આ બનાવ અંગે માલવીયાનગર પોલીસ મથકના પીએસઆઈ બી.બી. રાણા તથા રાઈટર પ્રશાંતસિંહએ કાર્યવાહી કરી હતી.

(2:38 pm IST)