Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

વાલકેશ્વર સોસાયટીમાં હર્ષાબાનો ફાંસો ખાઇ આપઘાતઃ માસુમ પુત્ર મા વિહોણો

રાજકોટ, તા., ૨૧: સહકાર રોડ પર વાલકેશ્વર સોસાયટીમાં રહેતી મહિલાએ ગળાફાંસો ખાઇ આઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ સહકાર રોડ ઉપર આવેલી વાલકેશ્વર સોસાયટી શેરી નં. ૧૦ માં રહેતી હર્ષાબા સંજયસિંહ જાડેજા (ઉ.વ.રપ)એ રાત્રે પોતાના ઘરે ઉપરના માળે બેડરૂમમાં છતના હુકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પતિ બહારથી આવ્યા ત્યારે રૂમનો બંધ દરવાજો ધક્કો મારીને ખોલતા પત્નીને લટકતી હાલતમાં જોઇ દેકારો મચાવતા પરીવારજનો દોડી આવ્યા હતા અને જાણ કરતા ૧૦૮ની ટીમે સ્થળ પર પહોંચી ઇએમટી કિશનભાઇએ તપાસ કરતા મહિલાનું મૃત્યુ નિપજયુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્સ. પ્રકાશભાઇ વાંક તથા રાઇટર અક્ષયરાજસિંહ રાણાએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક હર્ષાબા એક ભાઇ અને ત્રણ બહેનમાં નાના હતા તે ભાવનગરના ઘોઘા તાલુકાના નવાગામમાં માવતર ધરાવતા હતા. તેના ત્રણ વર્ષ પહેલા લગ્ન થયા હતા. તેને દોઢ વર્ષનો પુત્ર છે. પતિ કારખાનામાં નોકરી કરે છે. તેણે કયા કારણોસર આ પગલુ ભર્યુ તે અંગેનું કારણ જાણવા પીએસઆઇ એસ.એન.જાડેજાએ તપાસ હાથ ધરી છે. દોઢ વર્ષનો પુત્ર માતા વિહોણો બનતા પરીવારમાં શોક વ્યાપી ગયો છે.

(11:58 am IST)