Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

ગોંડલ રોડ ચોકડીએ માસીયાઇ ભાઇઓ જીવણ-દેવરાજ પર હુમલો

જુના મનદુઃખમાં અનિલ, કિશોર, તળશી સહિતે ડખ્ખો કર્યો

રાજકોટ તા. ૨૦: મોરબી રોડ પર જય જવાન જય કિસાન સોસાયટી-૮માં રહેતાં  વાલ્મિકી જીવણભાઇ ગિરીશભાઇ વાઘેલા (ઉ.વ.૩૬) તથા તેના માસીયાઇ ભાઇ દેવરાજ ગિરીશભાઇ બારૈયા (ઉ.વ.૨૬) પર ગોંડલ રોડ ચોકડીએ તેના પરિચીતો અનિલ, કિશોર, તળશી સહિતનાએ હુમલો કરી ધોકા અને ઢીકાપાટુનો માર મારતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

 

હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે આજીડેમ પોલીસને જાણ કરી હતી. જીવણભાઇના કહેવા મુજબ પોતે અને માસીયાઇ ભાઇ ચોકડીએ કારખાનાઓમાં સફાઇ કામ કરવા ગયા હતાં. જ્યાં અનિલ સહિતના ભેગા થઇ જતાં જુના મનદુઃખનો ખાર રાખી હુમલો કરાયો હતો. અનિલે જીવણભાઇની ભાણેજને ભગાડીને લગ્ન કર્યા હોઇ તે બાબતનું મનદુઃખ હોવાનું જણાવાતાં પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(3:30 pm IST)