Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

ભુપેન્દ્ર રોડ ઇલેકટ્રોનિસ બજાર રવિવાર સુધી ચાર દિવસ બંધ પાળશે

રાજકોટ તા. ૨૨ : કોરોના મહામારીના કારણે સર્જાયેલ વિકટ પરિસ્થિતિ ધ્યાને લઇ વેપારીઓની પોતાની તેમજ પરિવારની અને સ્ટાફ મેમ્બર્સ અને સર્વજનની સુરક્ષા અર્થે તા. ૨૨ ના ગુરૂવારથી તા. ૨૫ ના રવિવાર સુધી ૪ (ચાર) દિવસ સજજડ બંધ પાડવા ભુપેન્દ્રરોડ ઇલેકટ્રોનિકસ મર્ચન્ટ એસોસીએશન દ્વારા નિર્ણય જાહેર કરાયો છે. ભુપેન્દ્ર રોડ પરની તમામ દુકાનો અને શોરૂમ બંધ રાખવા એસો.ના આગેવાનોએ અનુરોધ કરેલ છે.

(4:10 pm IST)