Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

હોમગાર્ડ જવાનો દ્વારા કાલે દક્ષિણ ઝોન ઓફિસમાં કથા- તાવા પ્રસાદ

નિવૃત થયેલ હોમગાર્ડ જવાનોને વિદાયમાન અપાશે

રાજકોટઃ તા.૨૧: રાજકોટ દક્ષિણ ઝોન હોમગાર્ડ ઓફીસ, અતિથિ ચોક પાસે, પર્ણ કુટિર ચોકી પાછળ કાલે તા.૨૨ના રવિવારે વિવિધ કાર્યનું આયોજન કરેલ છે.જેમાં સાંજે ૬ વાગ્‍યે શ્રી સત્‍યનારાયણ ભગવાનની કથા અને ત્‍યારબાદ રાત્રે ૮ કલાકે મહાપ્રસાદ/તાવાનુ આયોજન કરેલ છે.

આ કાર્યક્રમમાં જિલ્લા કમાન્‍ડન્‍ટ શ્રી જી.એસ.બારૈયા (એસીપી), માલવિયાનગર ના પી.આઇ શ્રી કે.એન.ભૂકણ, તાલુકા પોલીસ સ્‍ટેશન પી.આઇ, શ્રી વી.વી. વાગડીયા એ ડિવિઝનનાં પી.આઇ શ્રી સી.જી.જોષી તેમજ ત્રણેય ઝોનના અધિકારી ,ઇન્‍સ્‍ટ્રકટર શ્રી પુરોહિત, જિલ્લા હેડ ક્‍લાર્ક લાલભાઇ, કંપની કમાન્‍ડર જે.ડી.વ્‍યાસ ખાસ ઉપસ્‍થિત રહી હોમગાર્ડ જવાનોનો જુસ્‍સો વધારશે.

આ તકે કોરોના કાળ દરમ્‍યાન નિવૃત થયેલ હોમગાર્ડ બી.કે.પાલિયા, હોમગાર્ડ આર.બી.કાકડીયા, હોમગાર્ડ બી.સી.પરમાર, એ.એ.સોલંકી, હોમગાર્ડ સી.બી. ચોેહાણના વિદાય સમારંભ સાથે યોજેલ છે.

આ કાર્યક્રમના આયોજન માટે દક્ષિણ ઝોન અધિકારી એમ.પી. જોષી, આર. એચ.મૈયડ, એચ.જે.ભટ્ટ, એન.સી.જોષી, એન.કે.દવે, બી.આર.રાખસીયા,કે.કે. હરણેસા, ડી.વી. પાડલીયા જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:32 pm IST)