Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

બેભાન હાલતમાં લક્ષમણભાઇ, વિનોદભાઇ અને ધનજીભાઇના મોત

ભગવતીપરા, રાજલક્ષ્મી સોસાયટી અને મોચી બજારના પરિવારોમાં સ્વજનના મૃત્યુથી ગમગીની

રાજકોટ તા. ૨૨: ભગવતીપરા સુખસાગર સોસાયટી-૪માં રહેતાં આરએમસીના નિવૃત સફાઇ કામદાર લક્ષમણભાઇ શામજીભાઇ રાઠોડ (ઉ.૫૨) ઘરે બેભાન થઇ જતાંસિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃતકને સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી છે.

બીજા બનાવમાં હરિ ધવા રોડ રાજલક્ષ્મી સોસાયટીમાં રહેતાં હીરાઘસુ વિનોદભાઇ ડાયાભાઇ વેકરીયા (ઉ.૪૯)ને ફેફસાની બિમારી હોઇ બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ મૃત્યુ નિપજતાં ભકિતનગર પોલીસને જાણ કરાઇ હતી. તેમને સંતાનમાં બે પુત્ર છે. પોતે બે ભાઇમાં મોટા હતાં.

ત્રીજા બનાવમાં મોચી બજાર શ્રધ્ધાનંદ હરિજનવાસમાં રહેતાં ધનજીભાઇ નાનજીભાઇ ગોહેલ (ઉ.૫૮) બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ-ડિવીઝનમાં જાણ કરી હતી.

(12:19 pm IST)