Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

યોગ મનુષ્યને માનસિક, શારીરિક અને આધ્યાત્મિક દિશા તરફ લઈ જાય છેઃ રાજ હદવાણી

ગોપાલ સ્નેકસ કંપનીના કર્મચારીઓએ ઉજવ્યો યોગ દિવસ

રાજકોટઃ ગુજરાતની લોકપ્રિય અને શ્રેષ્ઠ બ્રાન્ડ 'ગોપાલ સ્નેકસ પ્રા.લી.'ના રાજકોટ મેટોડા ખાતેના યુનિટ પર યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી.

ગોપાલના એકિઝકયુટીવ ડિરેકટર  શ્રી રાજ હદવાણીના જણાવ્યા મુજબ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વને જયારે ભારતીય સંસ્કૃતિનું અનુકરણ કરવા તત્પર કર્યા છે. ત્યારે આપણી પણ પ્રાથમિક જવાબદારી બને છે કે આપણે અને આપની સાથે જોડાયેલા તમામને યોગ અને ભારતીય સંસ્કૃતિ અને તેના ફાયદાથી પરિચિત કરાવવા, યોગ જો સમજવામાં આવે તો માણસને દરેક પળ ફાયદો આપે છે અને મનુષ્યને માનસિક, શારીરીક અને આધ્યાત્મિક દિશા તરફ ખુબ આગળ લઈ જાય છે, હું પોતે અને અમારા તમામ કર્મચારીઓએ આજના અમુલ્ય દિવસની અનોખી ઉજવણી કરી છે અને દેશવાસીઓને પણ નમ્રમ અરજ કે આપણા દેશની અનોખી સંસ્કૃતિને આગળ વધારવા તત્પર રહેવું જોઈએ.

(2:54 pm IST)