Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

આઇ.ટી.આઇ.ના વ્‍યવસાયલક્ષી કોર્ષમાં તા. ૩૦ મી સુધી પ્રવેશ

રાજકોટ, તા.રર :  ઔદ્યોગિક તાલીમ સંસ્‍થા-રાજકોટના આચાર્ય જણાવે છે કે આઇ.ટી.આઇ. રાજકોટ ખાતે પ્રવેશ-ર૦રર અંતર્ગત પાંચમાં રાઉન્‍ડમાં એડમિશન અંતર્ગત એનસીવીટી ના રોજગારલક્ષી કોર્ષમાં હાલ સ્‍પોટ એડમિશન આપવવાની કામગીરી તા. ૩૦ સપ્‍ટેમ્‍બર સુધી ચાલુ છે જે ઉમેદવારોને વ્‍યવસાયલક્ષી કોર્ષમાં પ્રવેશ મેળવવો હોય તેઓએ સવારે ૧૦ થી સાંજના પ વાગ્‍યા સુધી આઇ.ટી.આઇ. રાજકોટ ખાતે તમામ જરૂરી પ્રમાણપત્રો સાથે હાજર રહેવું. 

(11:35 am IST)