Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

માનસિક રોગ- કેન્સરના દર્દીઓ માટે નિદાન કેમ્પ

રાજકોટઃ શ્રી બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા અનીષ હોસ્પિટલના ડો.સુશીલ કારિઆ તથા ડો.વિશાલ ભટ્ટના સહકારથી અનીષ હોસ્પિટલ ખાતે માનિસક રોગ તથા કેન્સરના દર્દીના વિવિધ માનસિક પ્રશ્નોના નિદાન માટે  કાઉન્સેલિંગ તેમજ વ્યસન મુકિત અને દર્દીઓ દ્વારા ઉદ્ભવી રહેલા અનેક પ્રશ્નોનું યોગ્ય નિદાન- સારવાર કેમ્પનું આયોજન થયેલ. જેનું ઉદ્ઘાટન જાણીતા યુરોલોજીસ્ટ તથા કીડનીના દર્દોના નિષ્ણાંત ડો.સુશીલ કારિઆ દ્વારા થયું હતું. એડવોકેટ જતીનભાઈ કારિઆ, ટ્રસ્ટના મંત્રી કે.ડી.કારિઆ, રોહિતભાઈ કારિઆ, બાળરોગ નિષ્ણાંત ડો.વિવેક ભટ્ટ, ધેર્યભાઈ રાજદેવ, પ્રફુલચંદ્ર ભટ્ટ, ગોરધનભાઈ લાલસેતા, કિશોરભાઈ પારેખ વિગેરે કાર્યરત રહ્યા હતા.

(3:08 pm IST)