Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

સમસ્‍ત બ્રહ્મસમાજ રાજકોટ દ્વારા શરદોત્‍સવ

બાલભવન ખાતે આયોજનઃ કશ્‍યપશુકલ-દર્શીત જાની

રાજકોટઃ સમસ્‍ત બ્રહ્મસમાજ રાજકોટના પ્રવકતા જયંતભાઇ  ઠાકર- સમગ્ર મીડિયા ઇન્‍ચાર્જ હરેશભાઇ જોષીની સંયુકત અખબારી યાદી મુજબ આગામી નવરાત્રી   મહોત્‍સવ આવી રહ્યો છે. ત્‍યારે સમસ્‍ત બ્રહ્મ સમાજ રાજકોટના પૂર્વ પ્રમુખ કશ્‍યપભાઇ શુકલ વર્તમાન પ્રમુખ દર્શીતભાઇ જાનીના નેતૃત્‍વમાં શરદોત્‍સવ રાસગરબાનું આયોજન બાલભવન ખાતે તા.૦૮/૧૦, શનિવારે કરાયુ છે.

જેમાં બ્રહ્મ અગ્રણી ભૂદેવ મોન્‍ટુ મહારાજ દ્વારા સિંગર સાથે મ્‍યુઝીકલ પાર્ટી સાથે સંગીતના સુરે રાસની રમઝટ બોલાવશે. રાસ ગરબાનો સમય સાંજે ૦૭ થી ૧૧:૩૦ સુધી રહેશે. વધુ વિગત સંપર્ક દર્શિતભાઇ જાની-મો.નં.૯૩૨૭૨ ૭૨૭૧૧, બ્રાહ્મણ બોર્ડીંગ રજપુત પરા,શેરી નં.-૬, રાજકોટ

(3:13 pm IST)