કાગવડ શ્રી ખોડલધામ ખાતે આજે આયોજીત ધર્મોત્સવમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા છે. નરેશભાઇ પટેલની આગેવાનીમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા છે. (તસ્વીર : સંદીપ બગથરિયા)
રાજકોટ તા. ૨૧ : આજે કાગવડ ખોડલધામ ખાતે શ્રી ખોડિયાર માતાજી મંદિરના ૭માં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં ધર્મોત્સવ યોજાયો છે.
ખોડલધામના ૭માં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ખોડલધામના પ્રણેતા નરેશભાઇ પટેલ દ્વારા ભૂપેન્દ્રભાઇ પટેલ, પ્રધાનો તથા દાતાઓનો સન્માન સમારોહ યોજાયો છે.
શ્રદ્ધાળુઓના આસ્થાના પ્રતિક સમાન, લેઉવા પટેલ સમાજને સંગઠનના એક તાંતણે બાંધનાર અને વિશ્વનું પ્રથમ એવું મંદિર જ્યાં ધર્મ ધ્વજાની સાથે સાથે રાષ્ટ્ર ધ્વજા પણ ફરકી રહી છે તેવા રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ગામ પાસે આવેલા ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ થઈ રહ્યો છે. ત્યારે આજે શનિવારના રોજ ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ખોડલધામ મંદિરે ભારત ભરના કન્વીનર, સહ કન્વીનર, સ્વયંસેવક, મહિલા સમિતિ, સામાજિક આગેવાનો, સમાજના દાતાઓની મિટીંગ અને સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલની ઉપસ્થિતિ અને માર્ગદર્શનમાં યોજાઈ રહેલા આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, નવનિયુક્ત મંત્રીઓ અને ધારાસભ્યઓ ઉપસ્થિત રહ્યા છે અને તેઓનું વિશેષ સન્માન કરાયેલ.
૨૧ જાન્યુઆરી ને શનિવારના રોજ સવારે ૮ કલાકે કન્વીનર, સહ કન્વીનર અને સ્વયંસેવક મિટીંગની શરૂઆત થઇ હતી. સવારે ૮ થી ૧૦ વાગ્યા સુધી ભવ્ય સાંસ્કળતિક લોક ડાયરો યોજાયો હતો. તેમજ યજ્ઞશાળામાં કન્વીનરો દ્વારા વૈદિક હવન કરવામાં આવશે તથા ધ્વજાજીનું પૂજન કરાયું હતું.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નવનિયુક્ત મંત્રીઓ, ધારાસભ્યઓ, લેઉવા પટેલ સમાજના ટ્રસ્ટીઓની હાજરીમાં મંદિરના શિખર પર બાવન ગજની ધ્વજાનું આરોહણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સભા શરૂ થશે, જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નવનિયુક્ત મંત્રીઓ અને ધારાસભ્યઓનું નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવશે. કાર્યક્રમ પૂર્ણ થયે સમૂહ રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું.
૨૧ જાન્યુઆરીનો દિવસ ખોડલધામ મંદિરના ઈતિહાસમાં વિશેષ સ્થાન ધરાવે છે. ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા થયેલા શિલાન્યાસ સમારોહ, શિલાપૂજન સમારોહ, જાજરમાન સમૂહ લગ્નોત્સવ, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, કળષિ મેળો, મહા ખેલકુંભ જેવા ઐતિહાસિક અને ન ભૂતો ન ભવિષ્યતિ સમાન કાર્યક્રમો ૨૧ જાન્યુઆરીના દિવસે જ આયોજિત કરવામાં આવ્યા હતા. આ દિવસોમાં ગિનિસ બુક ઓફ રેકોર્ડ, ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ, એશિયા બુક ઓફ રેકોર્ડ, ગોલ્ડન બુક ઓફ રેકોર્ડ જેવા કિર્તીમાનો પણ સ્થાપેલા છે. ત્યારે આ વર્ષે ૨૧ જાન્યુઆરીએ ભારત ભરના કન્વીનર, સહ કન્વીનર, સ્વયંસેવક, મહિલા સમિતિ, સામાજિક આગેવાનો, સમાજના દાતાઓની મિટીંગ અને સભાનું ભવ્ય આયોજન ખોડલધામ મંદિરે કરવામાં આવ્યું છે. જેમાં ખોડલધામના ઓલ ઈન્ડિયામાં સેવા બજાવતા કન્વીનર/સહ કન્વીનર ભાઈઓ-બહેનો અને સ્વયંસેવક ભાઈઓ-બહેનો હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયે બપોરે મહાપ્રસાદનું આયોજન પણ કરાયું હતુ઼. તો સર્વે શ્રદ્ધાળુઓને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મા ખોડલના આશીર્વાદ લઈ ધ્વજારોહણ, લોકડાયરો, યજ્ઞ, સભા અને મહાપ્રસાદનો લ્હાવો લીધો હતો.