Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

લોધીકાના માખાવડમાં ગીતા ભુરીયાનો ઝેર પી આપઘાત

રાજકોટ તા. ૨૩: લોધીકાના માખાવડમાં ચંદુભાઇની વાડીમાં રહી મજૂરી કરતાં મુળ મધ્‍યપ્રદેશના રામસીંગ ભુરીયાની પત્‍નિ ગીતા (ઉ.૨૨) તા. ૨૦ના રોજ ઝેરી દવા પી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ આજે વહેલી સવારે મોત નિપજ્‍યું હતું.

આપઘાત કરનાર ગીતાના લગ્ન એક વર્ષ પહેલા જ થયા હતાં. તેણીને એકાદ મહિનાથી સતત તાવ ચડ ઉતર થતો હોઇ અને માનસિક તકલીફ પણ થઇ ગઇ હોઇ તેના કારણે આ પગલુ ભર્યાનું પતિએ જણાવ્‍યું હતું. હોસ્‍પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ અને તોૈફિકભાઇ જૂણાચે લોધીકા પોલીસને જાણ કરી હતી.

(4:27 pm IST)