Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

ભાડલા વૈષ્ણવ સમાજ-રાજકોટ દ્વારા અન્નકોટ દર્શન

તાજેતરમાં રાજકોટ જિલ્લાનાં જસદણ તાલુકાનાં ભાડલા ગામે ભાડલા વૈષ્ણવ સમાજ-રાજકોટ દ્વારા બાલકૃષ્ણ લાલજીની હવેલી ભાડલા ખાતે ગીરીરાજની ધ્વજારોહણ અને અન્નકોટ દર્શન જસદણ-રાજકોટનાં બહોળા સમુદાયની ઉપસ્થિતિમાં ઉજવાયો. પ્રથમ ચરણમાં ગીરીરાજની ધ્વજારોહણ વિધી સમ્પન્ન કરીને ગીરીરાજને આરતી ઉતારવામાં આવેલ. ત્યારબાદ અન્નકોટ દર્શન સૌ વૈષ્ણવોને કરાવેલ. આ અન્નકોર્ટનું આયોજન મુખ્યાજી ઓમપ્રકાશભાઇએ કરેલ. મુખ્ય મનસુખભાઇકે. પટેલ, વિનુભાઇ પી. પટલેલ, અશ્વિનભાઇ સી. પટેલ, કિરીટભાઇ સી. પટેલ, જયંતિભાઇ એસ. કલ્યાણી, પ્રકાશભાઇ વી. ગાંગડીયા, ચંદુભાઇ એમ. પટેલ, હિતેશભાઇ જે. કલ્યાણી, મધુકરભાઇ ડી. દોશી, પ્રતિકભાઇ ડી. પલટેલ, સનીભાઇ એમ. દોશી, કેયુરભાઇ વી. પટેલ, ગોરધનભાઇ ડોબરીયા મોટી સંખ્યામાં બહેનો ત્થા સ્થાનિક વૈષ્ણવો ઉપસ્થિત રહીને અન્નકોટ દર્શનનો ત્થા ભોજન પ્રસાદનો લાભ લીધેલ. સર્વે વૈષ્ણવ દર્શનાર્થીઓનું શ્રીજીને ધરેલા ઉપરણાથી સન્માન કરવામાં આવેલ. હવેલીનાં શુભચિંતક, સક્રિય કાર્યકર દાતાશ્રી એવા સ્વ. રમેશભાઇ સી. પટેલ અને સ્વ. નવીનભાઇ એમ. પટેલ વૈકુંઠવાસ થતાં ગં.સ્વ. જયશ્રીબેન રમેશભાઇ પટેલ પરીવારે રૃા. પ૧૦૦૦નું દાન હવેલીને આપેલ છે. આજના અન્નકોટ દર્શનમાં પધારેલ જયશ્રીબેન રમેશભાઇ પટેલ ત્થા ગં.સ્વ. શ્રી અરૃણાબેન નવીનભાઇ પટેલનું મુખ્યાજી દ્વારા ઉપરણો ઓઢાડીને તેમની સેવાભાવને બીરદાવીને સન્માન કરેલ છે. બુઝર્ગ વડીલ મનુભાઇ એસ. દોશી ત્થા તેના પરિવારને પણ ઉપરણો ઓઢાડી સન્માન કરેલ. કાર્યક્રમને સફળ બનાવવામાં ભાડલા હવેલીનાં મુખ્યાજી ઓમપ્રકાશભાઇ પાલીવાલ, જસદણ હવેલીનાં મુખ્યાજી ઘનશ્યામભાઇ જોશી, પ્રમુખશ્રી અશ્વિનભાઇ પટેલ, ઉપપ્રમુખશ્રી જયંતિભાઇ કલ્યાણી, માનદ મંત્રી પ્રકાશભઇ ગાંગડીયા, હિતેશભાઇ કલ્યાણી, ગોરધનભાઇ ડોબરીયા, કરણભાઇ પાલીવાલએ શ્રીજી સેવાભાવ સાથે સમયદાન આપેલ. કાર્યક્રમનું સંચાલન અશ્વિનભાઇ પટેલ અને જયંતિભાઇ કલ્યાણીએ કરેલ.

(3:30 pm IST)