Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

મનપાના પદાધિકારીઓ દ્વારા સુભાષચંદ્ર બોઝની જન્‍મજયંતિ પ્રસંગે પુષ્‍પાંજલિ અર્પણ

રાજકોટઃ નેતાજી સુભાષચંદ્ર બોઝની આજે ર૩મી જાન્‍યુઆરીએ ૧૨૬મી જન્‍મજયંતિ પ્રસંગે તેઓની પ્રતિમાને પુષ્‍પાંજલિ અર્પણ કરવામાં આવેલ. આ પ્રસંગે મેયર ડૉ.પ્રદિપ ડવ, ડે.મેયર તથા ધારાસભ્‍ય ડૉ.દર્શિતાબેન શાહ, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઇ પટેલ, વિરોધપક્ષ નેતા ભાનુબેન સોરાણી, શાસકપક્ષ દંડક સુરેન્‍દ્રસિંહ વાળા, સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયા, તથા કોર્પોરેટરશ્રી રાણાભાઈ સાગઠીયા, મગનભાઈ સોરઠીયા, પરેશભાઈ આર.પીપળીયા, જીતુભાઈ કાટોળીયા, કંકુબેન ઉઘરેજા, નયનાબેન પેઢડીયા, રસીલાબેન સાકરીયા, દેવુબેન જાદવ, મંજુબેન કુંગશીયા તથા અગ્રણી મનસુખભાઈ જાદવ, ઘનશ્‍યામભાઈ કુંગશીયા, કાનાભાઈ ઉધરેજા વિગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:58 pm IST)