Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

સફાઇ કામદાર જાગૃતિ મંડળ દ્વારા ગુરૂવારે પ્રજાસત્તાક પર્વની સીલ્‍વર જયુબેલી ઉજવાશે

રાજકોટ તા. ૨૩ : સફાઇ કામદાર જાગૃતિ મંડળ દ્વારા છેલ્લા ૨૫ વર્ષથી ગાંધી જયંતિ, સ્‍વાતંત્ર્ય પર્વ અને પ્રજાસત્તાક પર્વની આન, બાન અને શાનભેર ઉજવણી કરવામાં આવે છે.તે મુજબ આ વર્ષે પણ તા. ૨૬ ના ગુરૂવારે સવારે ૧૧ વાગ્‍યે સફાઇ કામદાર જાગૃતિ મંડળની ઓફીસ નં. ર, ડો. આંબેડકર ભવન, સીવીક સેન્‍ટર પાસ,ે ગ્રાઉન્‍ડ ફલોર, ઢેબર રોડ ખાતે પ્રથાસત્તાક પર્વની સીલ્‍વર જયુબેલીની ઉજવણીક રાશે.

વાલ્‍મીકી સમાજના ધર્મગુરૂશ્રીઓ, વાલ્‍મીકી આગેવાનો તેમજ સફાઇ કામદારો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેશે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સફાઇ કામદાર જાગૃતિ મંડળના પ્રમુખ ભરત બારૈયા, મંત્રી મનસુખભાઇ વાઘેલા, સહમંત્રી અતુલભાઇ ઝાલા, ઉપપ્રમુખ અશોકભાઇ બારૈયા, ખજાનચી શૈલેષભાઇ વાઘેલા, કાર્યાલય મંત્રી ભાર્ગવભાઇ વાઘેલા, યુવા સફાઇ કામદાર જાગૃતિ મંડળના પ્રમુખ રાજુભાઇ વાઘેલા, મંત્રી રાહુલભાઇ બારૈયા, ઉપપ્રમુખ કૌશિકભાઇ સોઢા, સહમંત્રી વિમલભાઇ વાળા, ખજાનચી પ્રકાશભાઇ વાઘેલા, કાર્યાલય મંત્રી સુર્યકાન્‍તભાઇ બારૈયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:58 pm IST)