Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

રેસકોર્ષ મેદાનમાં ટ્રેડફેરમાં સાંસ્‍કૃતિક કાર્યક્રમોઃ ૨૯મી સુધી ચાલશે

રાજકોટઃ અહિના રેસકોર્ષ મેદાનમાં માઇક્રોફાઇન ઘરઘન્‍ટી દ્વારા થીમ્‍સ એન્‍ડ ડ્રીમઝ ઇવેન્‍ટ આયોજિત ટ્રેડ ફેર-૨૦૨૩નો ૨૯ જાન્‍યુઆરી સુધી ચાલનારા આ ટ્રેડ ફેરનો રાજકોટવાસીઓએ અબતક મીડીયાને સંગ મન ભરીને માણશે.

આ ફેરનું ઉદઘાટન સાંસદ શ્રી મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્‍ય શ્રી ડો.દર્શિતાબેન શાહ, સ્‍ટેડિંગ કમિટી ચેરમેન શ્રી પુષ્‍કરભાઇ પટેલ, ભાજપ અગ્રણી શ્રી ધનસુખભાઇ ભંડેરી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશભાઇ મીરાણી, શાસક પક્ષના દંડકશ્રી સુરેન્‍દ્રસિંહ વાળા, શાસક પક્ષના નેતા શ્રી વિનુભાઇ ધવા તેમજ શ્રી ચંદુભાઇ પરમારના હસ્‍તે થયો હતો. બાળકો માટે ગેમઝોન અવનવી રાઇડસ પણ આકર્ષણનું કેન્‍દ્ર બનશે. આ વર્ષે ફેરમાં બધાજ પ્રકારના સેગમેન્‍ટમાં સ્‍ટોલમાં વસ્‍તુઓનું પ્રદર્શન રાખેલ છે. ટ્રેડ ફેરની મુલાકાત બપોરે ૩થી રાત્રીના ૧૧ વાગ્‍યા સુધી લઇ શકાશે. આ ફેરમાં એફ એમ સી.જી. ગિફટ આર્ટિકલ, ઘરગથ્‍થુંની વસ્‍તુઓ, હેલ્‍થ, ફિટનેશ તેમજ ફુડ સ્‍ટોલ અને અન્‍ય બીજી ઘણી પ્રકારની સેવાઓ ઉપલબ્‍ધ હોવાનું જણાવાયુ છે. આ ફેરની સાંસ્‍કૃતિક કાર્યક્રમ પણ રાખેલ હોવાનું કૃષ્‍ણસિંહ જાડેજા, હિતેશભાઇ દોશી, યશપાલસિંહ જાડેજાએ યાદીમાં જણાવ્‍યુ છે.

(5:09 pm IST)