Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

કોંગ્રેસ દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને પુષ્‍પાંજલી અર્પણ

રાજકોટ : શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્‍મજયંતી એ નિમિતે શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, કાર્યકારી પ્રમુખ સંજયભાઈ અજુડિયા અને રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણીએ જણાવ્‍યું હતું કે ‘સ્‍વતંત્રતા બલીદાન માંગતી હૈ', ‘તુમ મુઝે ખૂન દો, મેં તુમ્‍હે આઝાદી દુંગા' જેવા જુસ્‍સાપ્રેરક નારા આપનાર સુભાષચંદ્ર બોઝના સૌ કોંગ્રેસજન વારસદાર છીએ. ગુજરાતમાં હરીપુરા ખાતે ૫૧માં અધિવેશનમાં કોંગ્રેસ અધ્‍યક્ષ સુભાષબાબુનું સ્‍વાગત ૫૧ બળદે ખેંચેલા રથ માં કરવામાં આવ્‍યું હતું. વિદેશમાં રહીને ભારતને ગુલામીમાંથી મુક્‍ત કરવાના આશયથી ‘આઝાદ હિન્‍દ ફોજ'ની પરદેશમાં રચના સુભાષચંદ્ર બોઝે કરી હતી.  સુભાષચંદ્ર બોઝની પુષ્‍પાંજલિ અર્પણ કાર્યકમમાં રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી, રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ દિપ્તીબેન સોલંકી, વોર્ડ પ્રમુખ ગીરીશભાઈ ઘરસંડિયા, વોર્ડ કાર્યકારી પ્રમુખ પ્રવીણભાઈ મુછડિયા, શહેર કોંગ્રેસ આગેવાનો વશરામભાઈ ચાંડપા, ઠાકરશીભાઈ ગજેરા, સલીમભાઈ કારીયાણીયા, નરેશભાઈ પરમાર, હીરાભાઈ ચાવડા, વિજયસિંહ ચૌહાણ, જયદીપ સોલંકી સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા તેવું કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટે જણાવ્‍યું છે.

(5:09 pm IST)