Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

જસદણ મામલતદાર એસ. જે. અસવારએ કનેસરા મધ્યાહન ભોજન કેન્દ્રની મુલાકાત લઈ, બાળકો સાથે બેસીને ભોજન લીધું

રાજકોટ:જસદણ મામલતદાર એસ. જે. અસવારએ કનેસરા કન્યા પ્રાથમિક શાળામાં આવેલા મધ્યાહન ભોજન યોજના કેન્દ્રની મુલાકાત કરી હતી. જરૂરી વ્યવસ્થાનું નિરીક્ષણ કરી, વિદ્યાર્થીઓને યોગ્ય પોષણયુક્ત ભોજન, પુરતો અનાજનો જથ્થો, બાળકોને મેનુ મુજબ યોગ્ય ભોજન મળે છે કે કેમ? તેની ચકાસણી કરી હતી. એટલું જ નહિ વિદ્યાર્થીઓ સાથે બેસીને મધ્યાહન ભોજન પણ લીધું હતું જે મામલતદાર એસ. જે. અસવારની સાદગી દર્શાવે છે.

(12:48 am IST)