Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

બુધવારે ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિરે જન્‍મોત્‍સવ-ધ્‍યાનોત્‍સવ-સંતવાણી

ઓશો સંન્‍યાસી આહિર સમાજ અગ્રણી સ્‍વામિ દાન અલગારી દાનબાપુના ૭૨માં જન્‍મદિવસ નિમિત્તે : આયોજક-સંચાલકઃ સ્‍વામિ સત્‍ય પ્રકાશ, સંતવાણી આયોજકઃ ભજનીક બકુલભાઇ, ટિલાવત (સ્‍વામિ આનંદ તીર્થ)તથા સાથી કલાકારો, જમ્‍બો કેૈક કટીંગ સાથે આજ મુબારક, કાલ મુબારક દરિયા જેવું જન્‍મદિવસ મુબારક

રાજકોટઃ છેલ્‍લા ૩૭ વર્ષોથી ૨૪ કલાક ઓશો કાર્યથી ધમધમતું વિશ્વનું એક માત્ર ઓશો સત્‍યપ્રકાશ ધ્‍યાન મંદિરે અવારનવાર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેનું સંચાલન સ્‍વામિ સત્‍યપ્રકાશ કરી રહ્યા છે.

આગામી તા.૨૫ને બુધવારના રોજ ઓશો સન્‍યાસી તથા આહિર સમાજ અગ્રણી દાનસીંગભાઇ શાર્દૂલભાઇ દુબલ(સ્‍વામિદાન અલગારી- દાનબાપુ) નો ૭૨મો જન્‍મદિવસ છે જે નિમિત્તે ઓશો સત્‍યપ્રકાશ ધ્‍યાન મંદિરે સાંજના ૬થી ૮.૩૦ દરમ્‍યાન જન્‍મોત્‍સવ, સંધ્‍યા ધ્‍યાન, ગુરુવંદના વગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યુ છે. કાર્યક્રમ બાદ રાત્રે ૮.૩૦ વાગ્‍યે મહાપ્રસાદ રાખેલ છે.

સ્‍વામિદાન અલગારી-દાનબાપુ (દાનસીંગભાઇ હુબલ)સાથે ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિરનો વર્ષો જુનો અતુટનાતો રહેલો છે. તેઓનો ૧૫૦ રીંૅગ રોડ પર સાગર હોલ હતો. ત્‍યારે ત્‍યા અનેક ઓશો ધ્‍યાન શિબિરો તથા ઉત્‍સવોનું આયોજન કરેલ. ઓશો સિવાઇ ૨૧ અનેક સેવાકીય પ્રવૃતિથી તેઓ સંકળાયેલો છે તેઓને જન્‍મદિવસ મુબારકબાદી આપવા માટે તેઓનો મો નં ૭૦૪૬૪ ૧૫૪૬૪ છે.

મહાપ્રસાદ બાદ રાત્રે ૯ વાગ્‍યે ભજનીક બકુલભાઇ ટીલાવત (સ્‍વામિ આનંદ તીર્થ) તથા તેઓના સાથી કલાકારો ગૌતમભાઇ મકવાણા, દેવજીભાઇ ચુડાસમા, રસીકભાઇ ચુડાસમા, બળવંતસિંહ ગોહિલ, ખૂશ પ્રજાપતિ (છોટેઉસ્‍તાદ), માંધાભાઇ પાંભર, સ્‍વામિ જગદીશભાઇ ભારતી, સ્‍વામિ રાજુભાઇ દુબાવત, કનુ મહારાજ, વિનોદભાઇ નિમાવત, કાળુભાઇ મકવાણા, બલરાજભાઇ મકવાણા (બેન્‍જો માસ્‍ટર) અરવિંદ જેઠવા, દિલીપભાઇ ખોલીયા (તબલા ઉસ્‍તાદ) વગેરે વિવિધ કલાકારો દ્વારા વિવિધ સંતો-મંહતોની વાણી રજુ કરી શ્રોતાઓને ભકિતમાં લીન કરશે.સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રીજ પાસે, ૪ વૈદવાડી,‘ડી' માટે પાછળ, રાજકોટ

ઉપરોકત સ્‍વામિ દાન અલગારી-દાનબાપુના જન્‍મોત્‍સવમાં મુબારકબાદી દેવા માટે,ઓશો સંન્‍યાસી તથા પ્રેમીઓને ઉમટી પડવા માટે સ્‍વામિ સત્‍યપ્રકાશે અનુરોધ કરેલ છે. વિશેષ માહિતી માટેઃ સ્‍વામિ અન્‍ય પ્રકાશઃ ૯૪૨૭૨ ૫૪૨૭૬  સંજીવ રાઠોડઃ ૯૮૨૪૮ ૮૬૦૭૦.

(3:26 pm IST)