Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

પેટા કોન્‍ટ્રાકટર સામે કાર્યવાહી ન કરાતા વિંછીયામાં ઉપવાસ આંદોલનના મંડાણ

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા., ૨૩: વિંછીયા તાલુકા ભાજપના પુર્વ મહામંત્રી ભુપતભાઇ કેરાળીયાએ મામલતદારશ્રીને પત્ર પાઠવીને પેટા કેન્‍ટ્રાકટર સામે પગલા લેવાની માંગ સાથે ઉપવાસઆંદોલનના મંડાણ કર્યા છે.
નાયબ કાર્યપાલક ઇજનેર પાણી પુરવઠા જસદણ/વિંછીયા અને હિંગોળગઢ નર્મદા પાણી સંપના પેટા કોન્‍ટ્રાકટર સામે ફરીયાદ અંગે કાર્યપાલક ઇજનેર પાણી પુરવઠા રાજકોટ દ્વારા કોઇ પણ પ્રકારની કાર્યવાહી કરેલ નથી. જેથી વિંછીયા તાલુકા ભાજપ, રબારી, ઉકાભાઇ, રૂડઢાભાઇ પુર્વ પ્રમુખ માલધારી સેલ  વિંછીયા તાલુકા ભાજપ, લાખાણી સુભાષભાઇ રાઘજીભાઇ  પુર્વ ઉપપ્રમુખ વિંછીયા તાલુકા ભાજપ, રાજપરા અરવિંદભાઇ ભનુભાઇ પુર્વ પ્રમુખ વિંછીયા શહેર ભાજપ અને ફતેપરા પોપટભાઇ વિઠ્ઠલભાઇ પુર્વ સરપંચ સનાળી ભાજપ આગેવાનને સાથે રાખીને વિંછીયા તાલુકા સેવા સદન સામે ત્રણ દિવસ સુધી ગાંધી ચિંધ્‍યા રાહે સવારે ૧૧ થી પ કલાક સુધી ઉપવાસ આંદોલન શરૂ કર્યુ છે.

 

(3:26 pm IST)