Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

કબીર જયંતિ તથા ગુરૂ હરગોવિંદસિંહ જયંતિ નિમિતે

ગુરૂ તથા શુક્રવારે ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર પર કિર્તન સાથે ધ્યાનોત્સવ

કાર્યક્રમ સંચાલક- પૂર્વિ દિદિ (માં સુરજના): કોરોનાની વેકસીન લીધેલ હોય તેઓને સહભાગીતા માટે વેકસીનનું સર્ટિ અથવા મોબાઈલમાં મેસેજ બતાવવો અત્યંત જરૂરી

રાજકોટઃ ઓશોના સૂત્ર ઉત્સવ આમાર જાતિ આનંદ આમાર ગૌત્રને સાર્થક કરતાં વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો ધ્યાન શિબિરો, ઓશો સાહિત્ય પ્રદર્શનો, ઓશો સંન્યાશ ઉત્સવ, ભજન- કિર્તન, ગીત સંગીત, વિવિધ સંમ્પ્રદાયના ઉત્સવો વિશ્વ દિવસ વગેરે છેલ્લા ૩૬ વર્ષોથી ૨૪ કલાક ઓશો પ્રવૃતિથી ધમધમતું વિશ્વનું એકમાત્ર ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર પર તથા દ્વારા અવારનવાર ઉજવવામાં આવે છે. તેનું સંચાલન સ્વામિ સત્યપ્રકાશ કરી રહ્યા છે.

આવતીકાલ તા.૨૪ને ગુરૂવારે કબિર જયંતિ તથા તા.૨૫ શુક્રવારે ગુરૂ હરગોવિંદસિંહ જયંતિ નિમિતે ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર પર સાંજના ૬:૪૫ થી ૭:૪૫ દરમ્યાન કિર્તન ઉત્સવ સાથે ધ્યાનોત્સવનું આયોજન ઓશો ઈનર સર્કલ દ્વારા કરવામાં આવેલ છે. કાર્યક્રમમાં સહભાગીતા માટે વેકસીન લીધેલ અનિવાર્ય છે.

સ્થળઃ- ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર- ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજની બાજુમાં-૪, વૈદ્યવાડી- 'ડી માર્ટ'ની પાછળની શેરી રાજકોટ

વિશેષ માહિતી માટે સ્વામી સત્યપ્રકાશ મો.૯૪૨૭૨ ૫૪૨૭૬, સંજીવ રાઠોડ મો.૯૮૨૪૮ ૮૬૦૭૦

(11:44 am IST)