Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

દરિયાપુરી સંપ્રદાયના યાવતજીવન અનસન આરાધક પ. પૂ. શ્રી મયંકમુની મ.સા.નો સંથારો સીજી ગયો : પાલખીયાત્રા

 રાજકોટઃ દરિયાપુરી સંપ્રદાયના આચારનિષ્ઠ આચાર્ય ભગવંત બા. બ્ર. પ. પૂ. શ્રી વીરેન્દ્રજી સ્વામીના સુશિષ્ય મહાન તપસ્વી યાવતજીવન અનસન આરાધક પ. પૂ. શ્રી મયંકમુની મ. સા.નો સંથારો તા. ૨૨ ને મંગળવારના રોજ રાત્રે ૧૦.૨૫ કલાકે સંપૂર્ણ સમાધિ સાથે સીજી ગયેલ. ઊછરામણી આજે તા. ૨૩ ને સવારે ૧૦ કલાકે કરાયેલ. પાલખી યાત્રા સવારે ૧૧ કલાકે આદિનાથ ઉપાશ્રય, વીરા હોટેલની બાજુની ગલીમાં, કમળ દેરાસર ની સામેની ગલીમાં, સુરેન્દ્રનગર ખાતેથી નીકળી હતી.

(1:28 pm IST)