Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

સૂરીલી અન્‍વેષા રેલાવશે સૂરોનો સાગરઃ લતા મંગેશકરને સ્‍વરાંજલિનો કાર્યક્રમ

રાજકોટમાં અવનવા દિલચસ્‍પ મનોરંજક કાર્યક્રમો વચ્‍ચે એક અનોખો કાર્યક્રમ : લતા મંગેશકરના સ્‍મરણાર્થે

રાજકોટ : આપણા સહુના જીવનમાં કોઈને કોઈ ગીત સ્‍વરૂપે જેઓ હાજર રહ્યા છે અને આવનારી કઈ કેટલીયે પેઢીઓ સુધી જેમનો અવાજ દેહ ગુંજતો રહેશે એવા ભારત રત્‍ન સ્‍વર સામ્રાજ્ઞી લતા મંગેશકરને યાદ કરીને તેમના ગીતોનો એક અદભુત કાર્યક્રમ રાજકોટ માં થવા જઈ  રહ્યો છે .
રોહિત શેટ્ટી ની ગોલમાલ થી લઇને પ્રેમ રતન ધન પાયો, રિવોલ્‍વર રાની, રાંઝણા વગેરે જેવી કેટલીયે બોલિવૂડ ફિલ્‍મોમાં પોતાના સ્‍વીટ અવાજ વડે લોકો ના પગ થીરકાવનાર અને મન - તન ડોલાવનાર અન્‍વેષા આવી રહી છે રાજકોટમાં!
અન્‍વેષાને સાંભળવી એ એક લ્‍હાવો છે. સ્‍ટાર પ્‍લસના રિયાલિટી શોમાં બાળ કલાકાર તરીકે ભાગ લઇ, અન્‍વેષા એ ફિનાલેમાં સહુના દિલ જીતી લેતા ગીતો ગાયા. ખુદ મેગા સ્‍ટાર અમિતાભ બચ્‍ચન આ ફિનાલે માણવા ઉપસ્‍થિત રહેલા. અન્‍વેષાના ગીતોએ ચિક્કાર મેદનીને એક સુરમાં ડોલાવી. અને ત્‍યાર થી શરૂ થઇ તેમની સુરમયી સફર. રિયાલિટી શોથી લઇને બોલિવૂડ પ્‍લેબેક સિંગર સુધીની અન્‍વેષાની સફર અત્‍યંત દિલચસ્‍પ રહી જેના વિષે આવનારા દિવસોમાં વાતો કરીશું.
‘ઓલ ઇન્‍ડિયા ઇવેન્‍ટ-ઓલ બોલિવૂડ સ્‍ટાર્સ' આયોજિત આ મ્‍યુઝિકલ કાર્યક્રમ સ્‍વર સામ્રાજ્ઞી , ભારત રત્‍ન શ્રી લતા મંગેશકરને શ્રદ્ધા સુમન અર્પવા માટે છે. કાર્યક્રમનું નામ પણ એવું છે કે આપણે ભૂલી ના શકાય - ‘તુમ મુજે યું  ભૂલ ના પાઓગે....' કાર્યક્રમની વધુ વિગતો માટે આપ મો. -   ૯૮૯૨૬૨૫૭૬૮ પર સંપર્ક કરી શકો છો. આ કાર્યક્રમમાં લતા દીદીના અનેક સદાબહાર ગીતોની સુર ગંગા વહેશે.. કાર્યક્રમની વધુ માહિતી તેમજ સંસ્‍થામાં જોડાવવા તેમજ ટીકીટ બુકીંગ માટે ભારતીબેન નાયક મો. ૯૮૯૨૬ ૨૫૭૬૮/ ૭૪૩૫૦૪૪૭૨૧નો સંપર્ક કરવો.

 

(4:11 pm IST)