Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

વંદે ગુજરાત વિકાસ યાત્રા સાંજે કલેકટરે બેઠક બોલાવી

રાજકોટ તા. ૨૩ : ભારતની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી નિમિત્તે સમગ્ર દેશમાં ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ'ની ઉજવણી કરવામાં આવી છે. જેના ભાગ રૂપે તા. ૪ થી ૧૮ જૂલાઈના રોજ રાજયવ્‍યાપી ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા'નું આયોજન કરવામાં આવ્‍યું છે. જેના અનુસંધાને રાજકોટ કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુના અધ્‍યક્ષ સ્‍થાને રાજકોટ જિલ્લામાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા'ના સુચારૂ આયોજન માટે આજ રોજ સાંજના ૫ કલાકે કલેકટર કચેરી ખાતે બેઠક યોજાશે. સંબંધિત સર્વે સરકારી વિભાગોના અધિકારીઓને આ બેઠકમાં સમયસર ઉપસ્‍થિત રહેવા યાદીમાં ઉમેરાયું છે.

 

(3:43 pm IST)