Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

આવતીકાલની વેરાવળ-પૂના સ્પેશ્યલ ટ્રેન રદ્દ

મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનના કારણે

રાજકોટ, તા. ૨૩ :. મધ્ય રેલ્વેના મુંબઈ ડિવીઝનમાં આવેલા ઈગતપુરી-કલ્યાણ અને લોનાવાલા-કલ્યાણ સેકશનમાં થયેલા ભૂસ્ખલનને કારણે ૨૨ જુલાઈની પૂનાથી વેરાવળ આવવાવાળી ટ્રેન નં. ૦૧૦૮૮ રદ્દ કરવામાં આવી હતી. જેને લઈને પેરીંગ રેક ઉપલબ્ધ ન હોવાને કારણે ૨૪ જુલાઈના વેરાવળથી પૂના રવાના થતી ટ્રેન નં. ૦૧૦૮૭ (સ્પેશ્યલ) રદ્દ કરવામાં આવી છે. જેની મુસાફરોએ નોંધ લેવી.

(3:08 pm IST)