Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

સગીરાને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી બળાત્કાર ગુજારનાર ગોપાલ પકડાયો

માલવીયાનગર પોલીસે ગોપાલ ઉર્ફે બલદેવને દબોચ્યો

રાજકોટ તા. ૨૩ : માલવીયાનગર વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી બળાત્કાર ગુજારનાર શખ્સને માલવીયાનગર પોલીસે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ માલવીયાનગર વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષની સગીરાને ગત તા. ૨૮/૧૦ના રોજ સરસ્વતીનગર શેરી નં. ૧૦માં રહેતો ગોપાલ રસીકભાઇ સોલંકી નામનો શખ્સ પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી જતા માલવીયાનગર પોલીસ મથકમાં ફરિયાદ થઇ હતી.

આ બનાવમાં માલવીયાનગર પોલીસ મથકના પી.આઇ. કે.એન.ભુકણના માર્ગદર્શન હેઠળ સગીરાને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરતા પોલીસે આરોપી ગોપાલ ઉર્ફે બલદેવ રસીકભાઇ સોલંકી (ઉ.વ.૨૬) (રહે. સરસ્વતીનગર શેરી નં. ૨/૯, દોઢસો ફૂટ રોડ મૂળ દેરડી કુંભાજી, તા. ગોંડલ)ને પકડી લીધો હતો અને પોકસો તથા બળાત્કારની કલમનો ઉમેરો કરી પી.આઇ. કે.એન.ભુકણ તથા રાઇટર મયુરભાઇ તથા અરૂણભાઇએ તપાસ હાથ ધરી છે.

(4:26 pm IST)