Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

અૌદિચ્ય મહારાજશ્રી ઘેલારામજી બ્રાહ્મણ સોશ્યલ ગ્રુપનું સ્નેહમિલન

રાજકોટઃ. શ્રી ઔદિચ્ય મહારાજશ્રી ઘેલારામજી બ્રાહ્મણ સમાજનું 'નૂતન વર્ષ સ્નેહમિલન' સમારંભ તાજેતરમાં બ્રાહ્મણ બોર્ડિંગ ખાતે યોજાયેલ. જેમા અતિથિ વિશેષ તરીકે શ્રી સમસ્ત બ્રહ્મસમાજ, રાજકોટના પ્રમુખ દર્શીતભાઈ જાની, બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટના જયેશભાઈ ઉપાધ્યાય ઉપસ્થિત રહેલ. સ્વાગત પ્રવચન રાકેશભાઈ રાજ્યગુરૂએ અને આભાર દર્શન દિપકભાઈ પંડયાએ અને સંચાલન ભૂમીતભાઈ જાનીએ કરેલ. આગામી કાર્યક્રમોની વિગત શ્રી ઈન્દ્રવદનભાઈ રાજ્યગુરૂએ કરેલ. કાર્યક્રમની શરૂઆતમાં પૂજ્ય શ્રી ઔદિચ્ય મહારાજશ્રી ઘેલારામજી દાદાનું પૂજન-આરતી શાસ્ત્રોકત વિધિ પૂર્વક કરેલ. કાર્યક્રમને સફળ બનાવવા સુધીરભાઈ પંડયા, દિપકભાઈ રાજ્યગુરૂ, વિરેનભાઈ વ્યાસ, પ્રતિકભાઈ રાજ્યગુરૂ, કીર્તનભાઈ મહેતા, પીયુષભાઈ મહેતા, અતુલભાઈ મહેતા, રાજુભાઈ મહેતા, અમિતભાઈ રાજ્યગુરૂ, વિજયભાઈ દવે, કનુભાઈ ભટ્ટ, સંજયભાઈ પંડયા, મનોજભાઈ રાવલ, રાકેશભાઈ રાજ્યગુરૂ, જતીનભાઈ પંડયા, નીતિનભાઈ ઠાકર, સંજયભાઈ જોશી, પાર્થભાઈ રાજ્યગુરૂ વિગેરેએ જહેમત ઉઠાવેલ.

(2:33 pm IST)