Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

રાજગોર બ્રાહ્મણ હેલ્થ ગ્રુપ રાજકોટ દ્વારા ચાંપરડામાં પરિચય પુસ્તીકા વિમોચન તથા યુવા પસંદગી સમારોહ પુસ્તીકાનું પૂ. મુકતાનંદબાપુના હસ્તે વિમોચન

 (વિનુભાઇ જોષી દ્વારા) જુનાગઢ : ચાંપરડાના બ્રહ્માનંદ વિદ્યાધામમાં પૂ. મુકતાનંદબાપુ અને પૂ. નિલકંઠચરણદાસજીની પ્રેરણા અને આશિર્વાદથી તેમજ ગિજુભાઇ ભરાડના માર્ગદર્શન હેઠળ શ્રી રાજગોર બ્રાહ્મણ હેલ્થ ગ્રુપ રાજકોટના ભુપતભાઇ મહેતા અને તેની ટીમ દ્વારા રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ વેવિશાળ પરિચય પુસ્તીકાનું વિમોચન તથા યુવા પસંદગી સમારોહ તેમજ પુસ્તીકા પૂ. મુકતાનંદબાપુના હસ્તે કરવા માટેનું આયોજન કરાયુ હતું. ત્રિવિધ કાર્યક્રમમાં પૂ. મુકતાનંદબાપુ સહિતના સંતો આશિર્વચન આપેલ ત્યારબાદ ભોજન પ્રસાદ અને બીજા સેશનમાં યુવા પસંદગી સમારોહમાં ભાગ લેનાર યુવક યુવતીઓના ફોર્મ અજયભાઇ તેરૈયાએ સ્વીકારેલ કાર્યક્રમને સફળ બનાવવા રાજગોર બ્રાહ્મણ હેલ્થ ગ્રુપ રાજકોટના કિશન તેરૈયા દેવાંગ રવિયા અજય તેરૈયા અશોકભાઇ જોષી તથા ભૂપતભાઇ મહેતા તેમજ વ્યવસ્થાપક સમિતિના ચંદુભાઇ જોષી, ભાવિનભાઇ જોષી, ગીજુભાઇ વિકમા, ભાનુભાઇ જોષી, સી. જી. જોષી, કાળુભાઇ વેગડા, નિખીલ તેરૈયા, રાજુભાઇ જોષી, દિપકભાઇ તેરૈયા, સહિતના જહેમત ઉઠાવી છે. કાર્યક્રમનું સંચાલન ગીરધરભાઇ જોષી કરેલ તેમજ આ કાર્યક્રમમાં મોટીવેશનલ સ્પીકર તરીકે દિક્ષીત તેરૈયા ઉપસ્થિત રહેલ તેમજ આ કાર્યક્રમમાં રામાયણી સરોજબેન તેરૈયા તેમજ અસ્મિતાબેન રવિયા, દિવ્યકાંતભાઇ જોષી, રાજેશભાઇ શીલુ પત્રકારો સર્વશ્રી વિનુભાઇ જોષી, જયેશભાઇ દવે, ગીજુભાઇ વિકમા તથા અરવિંદભાઇ દવે તેમજ ધુનડા સતપુરણધામથી પૂ. જેન્તીરામ બાપાના પ્રતિનિધી હિતેષભાઇ શીલુ તેમજ કમલેશભાઇ શીલુ તેમજ જેતપુરથી હરી ઓમ વૃધ્ધાશ્રમના સંચાલક જોષી બાપા સહિતના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં. તેમજ સફળ બનાવવા માટે રાજગોર હેલ્થ ગ્રુપની ટીમ તેમજ બ્રહ્માનંદ વિદ્યાધામના શ્રી અર્જુનસિંહ રાઠોડ, કમલેશભાઇ ધાધલ સહિત સમગ્ર પરિવારે જહેમત ઉઠાવી હતી.

(3:30 pm IST)