Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

બજરંગ ટ્રસ્ટ દ્વારા ડીસીપી મનોહરસિંહજી જાડેજાનું સન્માન

રાજકોટઃ શ્રી બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા ગૌભકત દાતા દિલીપભાઇ સોમૈયાના અધ્યક્ષ સ્થાને આયોજીત કાર્યક્રમમાં ડી.સી.પી. મનોહરસિંહજી જાડેજા તથા આયુર્વેદાચાર્ય ડો. કેતનભાઇ ભીમાણી, લાફીંગ કલબવાળા પ્રવિણભાઇ ટાંક તથા ચેરમેન જયંતિભાઇ માંડલીયા, ધવલ ઇશ્વરભાઇ ખખ્ખર, મુસ્લીમ અગ્રણી હબીબભાઇ કટારીયાનું મોમેન્ટો આપી સન્માન થયુ હતુ. કાર્યક્રમની સફળતા માટે મંત્રી કે.ડી. કારીયા, ગોરધનભાઇ લાલસેતા, રોહીતભાઇ કારીયા, કિશોરભાઇ પારેખ, ધૈયભાઇ રાજદેવ, બી.એલ. મહેતા, મનુભાઇ ટાંક, રાજુભાઇ બુધ્ધદેવ, કુ.મીત્સુબેન કારીયા, કિરણબેન પુજારા, રત્નાબેન મહેશ્વરી, દિનકરભાઇ રાજદેવ વિગેરેએ જહેમત ઉઠાવેલ હતી.

(3:34 pm IST)