Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

દારૂના ગુનામાં અઢી વર્ષથી ફરાર હર્ષદિપસિંહને પકડી લેવાયો

ક્રાઇમ બ્રાંચના હરદેવસિંહ જાડેજા, એભલભાઇ બરાલીયાની બાતમીઃ અગાઉ ૯ આરોપીને પકડી લેવામાં આવ્યા હતાં

રાજકોટ તા. ૨૩: શહેર ક્રાઇમ બ્રાંચે દારૂના ગુનામાં અઢી વર્ષથી ફરાર હર્ષદિપસિંહ ઉર્ફ હિતરાજસિંહ પ્રવિણસિંહ પરમાર (ઉ.૨૯-રહે. શિવશકિત સોસાયટી, જડેશ્વર મંદિર પાછળ હળવદ રોડ ધ્રાંગધ્રા)ને પકડી લઇ કાર્યવાહી કરી છે.

અગાઉ આ ગુનામાં ડીસીબીની ટીમે દારૂનો જથ્થો, વાહનો મળી નવ આરોપીઓને પકડ્યા હતાં. જેતે વખતે નામ ખુલતાં હર્ષદિપસિંહ ફરાર હતો. અઢી વર્ષ પછી તે હાથમાં આવી જતાં કાર્યવાહી થઇ હતી. સીપી, જેસીપી, ડીસીપીશ્રીઓની સુચના અને એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની રાહબરીમાં પીઆઇ વી. કે. ગઢવીના માર્ગદર્શનમાં પીએસઆઇ એમ. વી. રબારી, એએસઆઇ જયુભા પરમાર, દિગુભા જાડેજા, પ્રતાપસિંહ ઝાલા, પુષ્પરાજસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, અશોકભાઇ ડાંગર, સોકતભાઇ ખોરમની ટીમે એએસઆઇ હરદેવસિંહ જાડેજા અને એભલભાઇ બરાલીયાની બાતમી પરથી આ કામગીરી કરી હતી.

(4:07 pm IST)