Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

ખોડાપીપરના શિક્ષક રાજેશભાઇ પટેલનો પેટની તકલીફથી કંટાળી જઇ આપઘાત

રાજકોટ તા. ૨૩: પડધરીના ખોડાપીપર ગામે રહેતાં અને ટંકારાના બંગાવડીની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં રાજેશભાઇ પિતાંબરભાઇ ધરસંડીયા (ઉ.વ.૪૦)એ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

રાજેશભાઇએ સવારે દસેક વાગ્યે ઝેર પી લેતાં સારવાર માટે ખસેડાયા હતાં. પરંતુ દમ તોડી દીધો હતો. તેઓ ચાર ભાઇ અને બે બહેનમાં નાના હતાં. સંતાનમાંએક પુત્ર અને એક પુત્રી છે. પેટમાં એસીડીટી સહિતની તકલીફો સતત થતી રહેતી હોઇ તેના કારણે કંટાળીને આ પગલુ ભરી લીધાનું પરિવારજનોએ કહ્યું હતું.

(4:08 pm IST)