Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

સંતાનને ખીજાવા બાબતે પતિએ ઠપકો દેતાં પરિસ્મીતાએ એસિડ પી મોત મેળવ્યું

કુવાડવાનો બનાવઃ રાજકોટમાં દમ તોડ્યોઃ બંગાળી પરિણીતાએ બાથરૂમમાંથી બહાર આવી પતિને કહ્યું-બાળકોનું ધ્યાન રાખજો હું એસિડ પી ગઇ છું:

રાજકોટ તા. ૨૩: કુવાડવામાં આંબલીવાળી શેરીમાં પંજાબ બેંક સામે રહેતી મુળ બંગાળની પરિસ્મિતા પ્રશાંત પાલ (ઉ.વ.૨૪) નામની પરિણીતાને પતિએ ઠપકો આપતાં માઠુ લાગી જતાં એસિડ પી આપઘાત કરી લેતાં બે સંતાન મા વિહોણા થઇ ગયા છે.

પરિસ્મિતા (પરી)એ સવારે એસિડ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. આપઘાત કરનાર પરિસ્મિતાને સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે. બે દિવસ પહેલા તેણીએ સંતાનોને ખીજાઇને  મારકુટ કરી હોઇ  પતિને ખબર પડતાં તેણે તેણીને વારંવાર સંતાનો સાથે આવું વર્તન નહિ કરવા કહી ઠપકો આપ્યો હતો. આ બાબતે માઠુ લાગી જતાં આજે સવારે તે બાથરૂમમાં ગઇ હતી અને બહાર આવીને પતિને કહ્યું હતું કે બાળકોનું ધ્યાન રાખજો મેં એસિડ પી લીધું છે.

આ સાંભળતા જ પતિએ તુરંત તેણીને સારવાર માટે ખસેડી હતી. પરંતુ દમ તોડી દીધો હતો. બે સંતાન મા વિહોણા થતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. તેણીનો પતિ કુવાડવામાં વડાપાઉની લારી રાખી ગુજરાન ચલાવે છે. કુવાડવાના હેડકોન્સ. મહાવીરસિંહ ઝાલાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(4:08 pm IST)