Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

ખંભલાવધામ ખાતે ત્રિ-દિવસીય મહોત્‍સવ

રાજકોટ તા. ર૩ :.. મા ખંભલાવના બેજાણા માંડળ (વિરમગામ) તથા હડીયાણા (જોડીયા) બાદ હવે રાજકોટના આંગણે પીપળીયા ગામ ખાતે નવીનગર સાત હનુમાન મંદિર પાછળ, કુવાડવા રોડ, અમદાવાદ હાઇવે નજીક ખંભલાવધામ ખાતે બિરાજમાન થશે. માંઇ ભકત ભાગવદ આચાર્યશ્રી પ્રવિણભાઇ રાવલ (મો. ૯૮રપ૩ ૧૧૦૧૩), જેમના પ્રથમ, સંકલ્‍પને સિધ્‍ધી થી મા ખંભલાવનું મંદિર નિર્માણ થઇ રહ્યું છે. તા. ર-૩-૪ ડીસેમ્‍બરના રોજ ત્રિદિવસીય મહોત્‍સવ યોજાશે. તેમ બ્રહ્મસેના સ્‍થાપક અધ્‍યક્ષ જગદીશ રાવલની યાદી જણાવે છે.

(5:02 pm IST)