Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

ગાયો બાંધવા મામલે મનજીભાઇ નળીયાપરા પર તલવારથી હુમલો

પડધરીમાં બનાવઃ હુશેન સહિતના શખસો તૂટી પડ્યા

રાજકોટ તા. ૨૩: પડધરીમાં મોવૈયા સર્કલ પાસે રહેતાં મનજીભાઇ મેઘજીભાઇ નળીયાપરા (ઉ.વ.૬૫) નામના વૃધ્ધ પર સવારે સાડા અગિયારેક વાગ્યે ઘર પાસે હતાં ત્યારે હુશેન સહિતના શખ્સોએ તલવારથી હુમલો કરી લોહીલુહાણ કરી નાંખતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં પડધરી પોલીસને જાણ કરવામાં આવી હતી. મનજીભાઇએ જણાવ્યું હતું કે પોતાના ઘર પાસે પ્લોટમાં ગાયો બાંધી હોઇ ત્યાં ગાયો બાંધવાની ના પાડી આ શખ્સોએ હુમલો કર્યો હતો. પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી.

(3:52 pm IST)