Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

ભાયાવદરમાં શિક્ષકના બંધ મકાનમાં તસ્‍કરો ત્રાટકયાઃ ૯પ હજારની મત્તાની ચોરી

રાજકોટ તા. ર૩ :.. ભાયાવદરમાં તસ્‍કરો શિક્ષકના બંધ મકાનને નિશાન બનાવી ૯પ હજારની મત્તા ચોરી કરી ગયા હતાં.

મળતી વિગતો મુજબ ભાયાવદરમાં વડાળી રોડ ઉપર મારૂતીનગરમાં રહેતા શિક્ષક શાંતીલાલ પુરણદાસ દાણીધારીયાના બંધ મકાનના તાળા તોડી તસ્‍કરો અંદરથી સોનાના દાગીના તથા રોકડા રૂા. ૩પ,૦૦૦ મળી કુલ ૯પ,૦૦૦ ની મતા ચોરી કરી ગયા હતાં. શિક્ષકનો પરિવાર બહારગામ ગયો હતો અને તસ્‍કરો ઘર સાફ કરી ગયા હતાં. આ અંગે અજાણ્‍યા ઇસમો સામે ફરીયાદ થતા ભાયાવદરના પી. એસ. આઇ. કે. પી. મેતા તથા સ્‍ટાફે તપાસ હાથ ધરી છે.

(4:00 pm IST)